Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

શીંગડાં માંડતાં શીખવશું!


શ્રી નાનાભાઈ ભટ્ટની 80મી જન્મજયંતી પ્રસંગે, એમના જીવનપ્રસંગો મારફત દક્ષિણામૂર્તિ સંસ્થાની કથા કહેતું ‘નાનાભાઈ’ નામનું નાનું પુસ્તક શ્રી 'દર્શકે’ 1961માં આપેલું. તેનો સંક્ષેપ આ ખીસાપોથીના પહેલા ખંડમાં આપ્યો છે. તે પછી એમના પોતાના જીવનપ્રસંગોની સાથે એ જ સંસ્થા-કથા આગળ ચલાવતું પુસ્તક ‘સદ્ભિહ્ સંગહ’ પણ શ્રી ‘દર્શક’ પાસેથી મળ્યું. તેમાંથી થોડો અંશ અહીં બીજા ખંડમાં રજૂ થયો છે. બંનેની મળીને એક સળંગ કથા બને છે. તેનું મથાળું, લેખકના જ શબ્દોમાંથી ઉપાડીને, મેં મૂકેલ છે : “શીંગડાં માંડતાં શીખવશું!” આ સમાજમાં, આ વિશાળ જગતમાં, જયાં ક્યાંય અનાચાર ને દુરાચાર દેખાય તેની સામે શીંગડાં માંડવાની એક ખુમારી સાથે આપણાં કિશોર-કિશોરીઓ શિક્ષણસંસ્થાઓમાંથી બહાર નીકળતાં હોય, એવા દિવસની વાટ આતૂરતાથી કોણ નહિ જોતું હોય?

મહેન્દ્ર મેઘાણી

મનુભાઈ પંચોળી 'દર્શક'

મનુભાઈ પંચોળી 'દર્શક'

વધુ જાણો

મનુભાઈ પંચોળી 'દર્શક'નાં અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો

Searching...

Navigate
Select
Close