મકરન્દ દવે
દવે, મકરંદ વજેશંકર (જ. 13 નવેમ્બર 1922, ગોંડલ; અ. 31 જાન્યુઆરી 2005, નંદિગ્રામ) : ગુજરાતી કવિ અને અધ્યાત્મચિન્તક. 1942ની લડત દરમિયાન રાજકોટ કૉલેજ ઇન્ટરથી છોડી. ભક્તોના સાહિત્યનું પરિશીલન કરતાં એક વિદગ્ધ સર્જક બન્યા. ગુજરાતી સાહિત્યમાં ગીત, ભજન અને ગઝલની પરંપરાને તેમણે સત્વશીલ રચનાઓ દ્વારા જીવંત રાખી.
‘કુમાર’, ‘ઊર્મિનવરચના’ વગેરેમાં એમની કૃતિઓ છપાતી. સાહિત્યિક પત્રકાર તરીકે ‘જયહિંદ’માં લખતા. ‘તરણાં’ (1951); ‘જયભેરી’ (1952); ‘ગોરજ’ (1957); ‘સૂરજમુખી’ (1961); ‘સંજ્ઞા’ (1964); ‘સંગતિ’ (1968) વગેરે એમના કાવ્યસંગ્રહો છે. ‘હવાબારી’ ગઝલસંગ્રહ છે અને ‘ઉજાગરી’ મુક્તકોનો સંગ્રહ છે. તેમની કૃતિઓમાં ભજનરસ અને લોકસાહિત્યના સંસ્કારો વિશેષપણે જોવા મળે છે. તેમાં જૂની પરંપરાનાં પ્રતીકો દ્વારા મસ્તી તથા શ્રદ્ધાનો રણકો સંભળાય છે. સોરઠી વાણીની તળપદી મહેક અને ર્દઢ ઈશ્વરશ્રદ્ધા એમની રચનાઓની ખાસ લાક્ષણિકતા છે. સૉનેટો અને છંદોબદ્ધ રચનાઓ કરતાં ગીતોમાં એમની ખૂબી વિશેષ દેખાય છે. તેમાં શબ્દનાં ઊંડાણ અને અવધૂતની મસ્તી આસ્વાદ્ય છે. રવીન્દ્રનાથ અને મેઘાણીની અસર વર્તાય છે.
એમની અન્ય કૃતિઓમાં બાળકાવ્યસંગ્રહ : ‘ઝબૂક વીજળી ઝબૂક’ (1955); બાળનાટકો : ‘બે ભાઈ’ (1958) અને ‘તાઈકો’ (1968); ગીતનાટિકા : ‘શેણી વિજાણંદ’ (1956); નવલકથા : ‘માટીનો મહેકતો સાદ’ (1981); તથા વ્યક્તિપરિચય : ‘યોગી હરનાથના સાન્નિધ્યમાં’ (ત્રીજી આવૃત્તિ : 1977) વગેરે છે. ઉપરાંત ‘અંતર્વેદી’ (1978), ‘યોગપથ’ (1978), ‘સહજને કિનારે’ (1980); ‘ભાગવતી સાધના’ (1982), ‘ગર્ભદીપ’ (1983), ‘ચિરંતના’ (1983) અને ‘ચિદાનંદા’ એમના અધ્યાત્મચિંતનના ગ્રંથો છે. ‘એક પગલું આગળ’(1982)માં એમનું સામાજિક ચિંતન મળે છે.
‘સત કેરી વાણી’ (1970) એમણે સંપાદિત કરેલ ભજનસંગ્રહ છે. ‘પીડ પરાઈ’(1973)માં પ્રસંગચિત્રોનું આલેખન છે. કાન્તિલાલ કાલાણી સાથે ‘વિષ્ણુસહસ્રનામ : આંતરપ્રવેશ’ (1984) લખ્યું છે. માર્મિક સંવેદન વ્યક્ત કરતું ‘સૂર્યની આમંત્રણપત્રિકા’ અને ભારતીય સંસ્કૃતિની ગોમુખ-યાત્રા વર્ણવતું ‘તપોવનની વાટે’ તેમની સાત્વિક પ્રતિભાના દ્યોતક છે. એમણે બે અનુવાદો પણ આપ્યા છે. ‘ઘટને મારગે’ (1946) અને ‘ટારઝન : જંગલોનો રાજા’ (1947). ‘સ્વામી અને સાંઈ’માં સ્વામી આનંદ અને મકરંદ દવે વચ્ચે 1955થી 1975 દરમિયાન લખાયેલા પત્રોનો સંગ્રહ છે. ‘શિવમહિમ્ન: સ્તોત્ર’નો સમશ્લોકી અનુવાદ પણ તેમણે કરેલો છે. 1979માં એમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો.
પ્રાકૃતિક, સરળ અને શાંત જીવન અંગેનો પ્રયોગ તેમણે 1984માં વલસાડ જિલ્લાના વાંકલ ગામે ધરમપુર જવાના રસ્તે નંદિગ્રામ સંસ્થાની સ્થાપનાથી કરેલો છે. જાણીતાં ગુજરાતી નવલકથાકાર કુંદનિકા કાપડિયા એમનાં સહચરી પણ તે સંસ્થામાં ઓતપ્રોત હતાં.
— રમણિકભાઈ જાની
મકરન્દ દવેનાં પુસ્તકો
ઇબુક
અંતર્વેદી (દિવ્ય ચક્ષુનો ઉઘાડ)
લેખક: મકરન્દ દવે
ઇબુક
અમેરિકાનો ચિરંતન ચહેરો
લેખક: મકરન્દ દવે
ઇબુક
અશ્વમેધ યજ્ઞ
લેખક: મકરન્દ દવે
ઇબુક
આચમની
લેખક: મકરન્દ દવે
ઇબુક
કોઈ ઘટમાં ગહેકે ઘેરું (ભાગ ૧)
લેખક: મકરન્દ દવે
ઇબુક
કોઈ ઘટમાં ગહેકે ઘેરું (ભાગ ૨)
લેખક: મકરન્દ દવે
ઇબુક
કોઈ ઘટમાં ગહેકે ઘેરું (ભાગ ૩)
લેખક: મકરન્દ દવે
ઇબુક
ગરુડપુરાણ
લેખક: મકરન્દ દવે
ઇબુક
ગર્ભદીપ
લેખક: મકરન્દ દવે
ઇબુક
ગોપથના યાત્રી સાથે ગોષ્ઠી (રામરાજ્ય એવું સુરાજ્ય)
લેખક: મકરન્દ દવે
ઇબુક
ચિદાનંદા
લેખક: મકરન્દ દવે
ઇબુક
ચિરંતના
લેખક: મકરન્દ દવે
ઇબુક
જનમ જનમની કૂંચી
લેખક: મકરન્દ દવે
ઇબુક
ઝબૂક વીજળી ઝબૂક - ભાગ ૧
લેખક: મકરન્દ દવે
ઇબુક
તપોવનની વાટે
લેખક: મકરન્દ દવે
ઇબુક
દામ્પત્ય-યોગ અને નવા લગ્નગીતો
લેખક: મકરન્દ દવે
ઇબુક
દ્ર્ગ્ દ્રશ્ય વિવેક
લેખક: મકરન્દ દવે
ઇબુક
ધુમ્મસને પેલે પાર (સદા આનંદ વિહાર)
લેખક: મકરન્દ દવે
ઇબુક
પીડપરાઇ
લેખક: મકરન્દ દવે
ઇબુક
પ્રભાત ગોષ્ઠિ
લેખક: મકરન્દ દવે
ઇબુક
બ્રહ્મવીણા
લેખક: મકરન્દ દવે
ઇબુક
ભજનરસ
લેખક: મકરન્દ દવે
ઇબુક
ભાગવતી સાધના (૨૦૧૨)
લેખક: મકરન્દ દવે
ઇબુક
મકરન્દ દવે – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: મકરન્દ દવે | સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર
ઇબુક
માટીનો મહેકતો સાદ
લેખક: મકરન્દ દવે
ઇબુક
માંડૂક્ય ઉપનિષદ
લેખક: મકરન્દ દવે
ઇબુક
યજ્ઞવિદ્યા
લેખક: મકરન્દ દવે
ઇબુક
યોગપથ
લેખક: મકરન્દ દવે
ઇબુક
યોગી હરનાથના સાનિધ્યમાં
લેખક: મકરન્દ દવે
ઇબુક
રામનામ તારકમંત્ર
લેખક: મકરન્દ દવે
ઇબુક
લઘુસ્તવ
લેખક: મકરન્દ દવે
ઇબુક
વિશ્વચેતનાના વણઝારા
લેખક: મકરન્દ દવે
ઇબુક
વિષ્ણુસહસ્રનામ આંતરપ્રવેશ
લેખકો: મકરન્દ દવે, કાન્તિલાલ કાલાણી
ઇબુક
શિવમહિમ્ન સ્તોત્ર (મૂળ,સમશ્લોકી અનુવાદ મહિમાદર્શન)
લેખક: મકરન્દ દવે
ઇબુક
શ્રી હનુમંત ચરણે
લેખક: મકરન્દ દવે
ઇબુક
સત કેરી વાણી
લેખક: મકરન્દ દવે
ઇબુક
સંનિહિતા
લેખક: મકરન્દ દવે
ઇબુક
સહજને કિનારે
લેખક: મકરન્દ દવે
ઇબુક
સાંઇ કેરી વાણી
લેખક: મકરન્દ દવે
ઇબુક
સાવિત્રી વિદ્યા
લેખક: મકરન્દ દવે
ઇબુક
સૂર્યની આમંત્રણ પત્રિકા
લેખક: મકરન્દ દવે
ઇબુક
હવાબારી
લેખક: મકરન્દ દવે