ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૬ (૧૮૯૫–૧૯૩૫) ગાંધીયુગીન – અનુગાંધીયુગીન ગદ્યસર્જકો
વિભાગ : સંદર્ભસાહિત્ય
રમેશ ર. દવે
રમેશ ર. દવેનો જન્મ ૧ સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ખંભલાવ ગામમાં થયો હતો. તેઓ ચુડા તાલુકાના (સુરેન્દ્રનગર) નાગનેશ ગામના વતની છે. તેમની માતાનું નામ અનુબહેન અને પિતાનું નામ રતિલાલ દવે છે. તેમના માતા સણોસરા(ભાવનગર)માં શિક્ષિકા હતાં, આથી તેમણે પ્રાથમિક શિક્ષણ ત્યાં જ લીધું. માધ્યમિક શિક્ષણ તેમણે પોતાના મામા મનુભાઈ પંચોળી ‘દર્શક’ પાસે ‘ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા’ આંબલા ખાતેથી પ્રાપ્ત કર્યું. ૧૯૬૮માં તેમણે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા ખાતેથી હિન્દી વિષય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી અને ૧૯૭૨માં આ જ વિષય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની ઉપાધિ મેળવી. ૧૯૮૩માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ડૉ. ચીમનલાલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ‘ગુજરાતી નવલકથામાં પાત્રનિરૂપણ’એ વિષય પર પીએચ.ડી.ની પદવી મેળવી. તેમની અધ્યાપન-કાર્યની યાદી પણ પણ વિવિધતાસભર છે. તેમણે સાવરકુંડલા, ગઢડા (સ્વામિના) અને માલપરાની હાઈસ્કૂલમાં ભણાવ્યું છે. ૧૯૭૨થી ૧૯૭૫ સુધી મ્યુનિસિપાલિટીની શાળઓના સુપરવાઇઝર તરીકે કાર્ય કર્યું. ૧૯૭૫થી ૧૯૮૧ સુધી વડિયા કૉલેજમાં ભણાવ્યું. ૧૯૮૧થી ૨૦૦૯ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સાહિત્યકોશના અધિકરણ લેખક તરીકે ફરજ બજાવી. અમદાવાદમાં આવ્યા પછી ત્યાંનું સાહિત્યિક વાતાવરણ તેમના માટે ઉપકારક રહ્યું. વળી જયંત કોઠારી અને રઘુવીર ચૌધરીનો સતત સત્સંગ તેમના વિવેચન અને સર્જનને પોષતો રહ્યો. ૧૯૯૭થી પીએચ.ડી.ના વિદ્યાર્થીઓના માર્ગદર્શક તરીકે ચારેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપ્યું છે. ૧૯૯૭થી ૨૦૦૨નાં વર્ષોમાં તેમણે ‘પરબ’ના સંપાદક તરીકે પણ કાર્યનિષ્ઠ ભૂમિકા ભજવી છે. કિશોરવયથી જ વિપુલ વાચન અને કહેવાયેલી કે સાંભળેલી વાતને પોતાની રીતે કહેવાની કે મઠારીને લખવાની મથામણમાં રહેતા આ લેખકને એમાંથી જ વિવેચન સાંપડ્યું. વિવેચનની દૃષ્ટિ એ પ્રવૃત્તિથી કે સ્વભાવમાંથી આવી. તેમનું તર્કશાસ્ત્ર ભારે આકરું. કોઈ પણ વાતને પહેલા તર્કના ત્રાજવે તોલે. તર્કને સાહિત્યિક રમણીયતાની સરાણે ચડાવાની એમની જિદ્દે જ એમને લખતો કર્યો હશે એવું તેઓ માને છે. અત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ચાલતી ‘પાક્ષિકી’ નામની વાર્તા પઠનની પ્રવૃત્તિ શરૂ કરનાર રમેશ ર. દવે છે. આ પ્રવૃત્તિ ખાસ કરીને નવોદિત વાર્તાકારોને લાભદાયી નીવડી છે. વાર્તાશિબિરોમાં એમણે અનેક વાર્તાકારોને ટૂંકીવાર્તાની ગુરુચાવી બતાવી છે. વાર્તા માટેની તેમની નિસબતને કારણે જ રઘુવીર ચૌધરી જેવા સાક્ષર તેમને ‘વાર્તાગુરુ’ના નામથી ઓળખે છે. રમેશ ર. દવે હાલ અમદાવાદ ખાતે રહે છે.
– માવજી મહેશ્વરી
પારુલ કંદર્પ દેસાઈ
જાણીતાં વાર્તાકાર, વિવેચક અને સંપાદક. જન્મ ૧૧ ડિસેમ્બર, ૧૯૬૧નાં રોજ મહુવા(ભાવનગર)માં. ૧૯૯૧માં 'મીરાં, અખો, લાભશંકર ઠાકર અને મધુ રાયની કૃતિઓમાં ભંગુરતાનું નિરૂપણ' વિષય પર સિતાંશુ યશશ્ચન્દ્રના માર્ગદર્શન હેઠળ એમ. એસ. યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. સૌપ્રથમ તોલાણી આટ્ર્સ કૉલેજ, આદિપુરમાં (કચ્છ) ખાતે ગુજરાતી ભાષાનાં અધ્યાપિકા. ત્યારબાદ બાર વર્ષ સુધી મહિલા આટ્ર્સ કૉલેજ, ધનસુરામાં અધ્યાપિકા. ૧૯૯૭થી ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિરમાં રીડર અને ૨૦૦૯થી કાર્યકારી નિયામક તરીકે સેવાઓ આપી, ૨૦૧૯માં નિવૃત્ત થયાં.
પીએચ.ડી. નિમિત્તે લખાયેલો સંશોધનગ્રંથ ‘ભંગુરતાનાં ચાર સર્જક પરિમાણ’(૧૯૯૮)માં એમણે ભંગુરતાની અનુભૂતિને ચાર ગુજરાતી સર્જકો – મીરાં, અખો, લાભશંકર ઠાકર, મધુ રાય –એ કેવી રીતે પોતાની રચનાઓમાં ઝીલી છે એનો તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યો છે. ‘ગ્રંથચર્યા’(૨૦૦૭)માં સંગ્રહિત તેમની સમતોલ સમીક્ષાઓ મર્મગામી છે.
નારીજીવનનાં વિવિધ સ્તરોને પ્રત્યક્ષ કરતી એમની વાર્તાઓ 'એક ડગલું આગળ' (૨૦૧૪) અને 'ફરીથી મળવું' (૨૦૨૫) સંગ્રહોમાં ગ્રંથસ્થ થઈ છે. ‘પગલે પગલે પંથ’ (૨૦૨૩) એમની નવલકથા છે. તેઓ કવચિત્ કાવ્યસર્જન પણ કરે છે. એમની કાવ્યરચનાઓ 'નવનીત સમર્પણ', 'એતદ્', 'કવિલોક', 'છાલક' ઇત્યાદી સામયિકોમાં પ્રકાશિત થઈ છે.
'ગુજરાતી સાહિત્યનો દસમો દાયકો' (૨૦૦૩; રમેશ ર. દવે અને સંજય શ્રીપાદ ભાવે સાથે), 'પરબસૂચિ' (૨૦૦૭; રમેશ ર. દવે અને ઈતુભાઈ કુરકુટિયા સાથે), 'સન્નિધાન' પુ. ૧થી ૯, તંત્રી: સુમન શાહ (અન્ય સાથે), 'ગુજરાતી નવલિકાચયન' (૨૦૦૯), 'પન્નાલાલની વાર્તાસૃષ્ટિમાં' (૨૦૧૨; દ્રષ્ટિ પટેલ સાથે), 'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' ગ્રંથ ૭ (૨૦૧૫; રમેશ ર. દવે સાથે), ‘ધરાથી આભ સુધી’ (૨૦૧૭), 'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' ગ્રંથ ૮, ભાગ ૧ અને ૨ (૨૦૧૮), 'રમેશ ર. દવેની પ્રતિનિધિ વાર્તાઓ' (૨૦૧૯; કંદર્પ ર. દેસાઈ સાથે), 'ધીરુબહેન પટેલ અધ્યયન ગ્રંથ' (૨૦૨૬; કંદર્પ ર. દેસાઈ સાથે) વગેરે એમની સાહિત્યસુઝના પરિચાયક સંપાદનગ્રંથો છે.
એમના વાર્તાસંગ્રહ ‘એક ડગલું આગળ’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયું છે. એમને વિશ્વભારતી સંસ્થાન, અમદાવાદ સંચાલિત જૂઈમેળો તરફથી શ્રીમતી હીરાબહેન પાઠક વિવેચન પારિતોષિક (૨૦૨૧) મળેલું છે.
– અનંત રાઠોડ
રમેશ ર. દવે, પારુલ કંદર્પ દેસાઈનાં અન્ય પુસ્તકો
-
-
-
ઇબુક
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૫ (૧૮૯૫–૧૯૩૫) ગાંધીયુગીન – અનુગાંધીયુગીન કવિઓ
સંપાદકો: રમેશ ર. દવે, પારુલ કંદર્પ દેસાઈ
-
ઇબુક
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૭ (૧૯૧૦–૧૯૩૫) સ્વાતંત્ર્યોત્તર યુગ – ૧
સંપાદકો: રમેશ ર. દવે, પારુલ કંદર્પ દેસાઈ
-
ઇબુક
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૮ ખંડ : ૧ (૧૯૩૬–૧૯૫૦) સ્વાતંત્ર્યોત્તર યુગ – ૨
સંપાદક: પારુલ કંદર્પ દેસાઈ
-
ઇબુક
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૮ ખંડ : ૨ (૧૯૩૬–૧૯૫૦) સ્વાતંત્ર્યોત્તર યુગ – ૨
સંપાદક: પારુલ કંદર્પ દેસાઈ
અન્ય પુસ્તકો
-
ઇબુક
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨ ખંડ : ૨ (૧૬૫૦–૧૮૫૦)
સંપાદકો: ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ
-
-
ઇબુક
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૮ ખંડ : ૧ (૧૯૩૬–૧૯૫૦) સ્વાતંત્ર્યોત્તર યુગ – ૨
સંપાદક: પારુલ કંદર્પ દેસાઈ
-
-
-
-
-
-
-
-
-
-