રામનારાયણ વિ. પાઠક
રામનારાયણ વિશ્વનાથ પાઠક (1887-1955) : આપણા સંમાન્ય વિવેચક રા. વિ.પાઠકનો જન્મ ધોળકા પાસેના ભોળાદમાં, મુંબઈમાંથી તર્કશાસ્ત્ર અને ફિલસૂફી સાથે બી.એ. અને એલએલ.બી. થઈને એમણે 1911થી અમદાવાદમાં થોડાંક વર્ષ વકીલાત કરી. એ છોડીને 1921થી વિદ્યાપીઠમાં ફિલસૂફી અને સાહિત્યનું અધ્યાપન કર્યું. 1925થી ‘પ્રસ્થાન’ સામયિકના તંત્રી તરીકે જૂની-નવી પેઢી સાથે પ્રેરક અનુબંધ રચ્યો, ને શિક્ષક-વિવેચક તરીકે ‘ગાંધીયુગના કાવ્યગુરુ’ ગણાયા. પછી મુંબઈ-અમદાવાદની કોલેજોમાં પણ અધ્યાપન કર્યું.
મુખ્યત્વે એ ગુજરાતી સાહિત્યના વિવેચક – પંડિતયુગ અને ગાંધીયુગના સેતુરૂપ એક વરિષ્ઠ વિદ્વાન અને પિંગળકાર. ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’(1933) વગેરે 10 જેટલાં પુસ્તકોમાં એમની અવિરત વિવેચન-સાધના અંકિત થઈ છે. ‘બૃહત્ પિંગળ’(1955) એમનો અપ્રતિમ પિંગળગ્રંથ છે.
એ ઉપરાંત એમણે ‘દ્વિરેફ’ ઉપનામે વાર્તાસર્જન કર્યું – ગુજરાતી વાર્તાના આરંભકાળે પણ રચના-પ્રયોગશીલ નમૂનેદાર વાર્તાઓ આપી – એ ‘દ્વિરેફની વાતો’ના 3 ભાગો(1928, 1935, 1942)માં પ્રગટ થઈ છે ; ‘શેષ’ ઉપનામે સહજ ભાષાશૈલીમાં, ઊર્મિ-ચિંતન ઉભયના સ્પર્શવાળી છંદબદ્ધ ને ગીતકવિતા લખી – એ કાવ્યો ‘શેષનાં કાવ્યો’ (1938)માં ને પછી ‘વિશેષ કાવ્યો’(1959)માં સંચિત થયાં છે; ‘સ્વૈરવિહારી’ નામે એમણે હળવી શૈલીના ને પ્રાસાદિક વિચાર-વિમર્શના નિબંધો લખ્યા – એ ‘સ્વૈરવિહાર’ના 2 ભાગ(1931,1937)માં પ્રગટ થયા. એ ઉપરાંત પણ એમનાં ગદ્ય-પુસ્તકો પ્રગટ થયાં છે.
મમ્મટાચાર્યના ‘કાવ્યપ્રકાશ’નો રસિકલાલ પરીખ સાથે કરેલો અનુવાદ(1924), તેમજ અનેકવિધ સંપાદનો-સંચયો એમણે અભ્યાસીઓ, વિદ્યાર્થીઓ તથા જિજ્ઞાસુ સાહિત્યરસિકો માટે કરેલાં છે.
‘પાઠકસાહેબ’ના આદરણીય સંબોધનથી ઓળખાતા રહેલા રા.વિ.પા.ના સર્જન-વિવેચનના કોઈપણ લખાણનો મુખ્ય ગુણધર્મ પ્રાસાદિકતા ને પારદર્શતા રહ્યો છે એ એમના પ્રદાનની એક વિશેષ ને વિશિષ્ટ ઓળખ છે.
– રમણ સોની
યોગેશ જોષી
ગુજરાતીના એક મહત્ત્વના સર્જક યોગેશ જોષી (જ. 3-7-1955) વ્યવસાયે એન્જિનીયર. એમ.એસસી. કરીને બીએસએનએલ, અમદાવાદમાં, જુનિયર એન્જિનીયર તરીકે જોડાયા અને ડે. જનરલ મેનેજર તરીકે નિવૃત્ત થયા. પણ એમનામાં સર્જકતાનો વેગ અને સાતત્ય એવાં રહ્યાં છે કે કવિતા (અવાજનું અજવાળું, 1984થી આખુંય આકાશ માળામાં, 2018); નવલકથા (સમુડી, 1984થી અણધારી યાત્રા, 2011); વાર્તા (હજુય કેટલું દૂર, 1993થી અઢારમો ચહેરો, 2013); ચરિત્ર(મોટી બા); અનુવાદ (મૃત્યુસમીપે); બાળકવિતા-વાર્તાનાં 14 પુસ્તકો; અને 10 સંપાદનો (એમાં સૌથી અગત્યનું તે વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા, 2007, અન્ય સાથે) – એમ 40 જેટલાં પુસ્તકો એમણે આજ સુધીમાં આપ્યાં છે.
સર્જક તરીકેની એમની મુખ્ય ઓળખ તે ઊર્મિલક્ષી, નક્કર કલ્પનમય કવિતાના સજ્જ કવિ તરીકેની. અલબત્ત, એમની પ્રત્યેક સ્વરૂપની કોઈ ને કોઈ કૃતિ પુરસ્કૃત થયેલી છે.
હાલ યોગેશ જોષી ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક 'પરબ'ના સંપાદક તરીકે પણ કાર્યરત છે.
(પરિચય – રમણ સોની)
ઊર્મિલા ઠાકર
ઊર્મિલા ઠાકર (૧૯૫૨) ગ્રંથાલયશાસ્ત્રનાં વિદુષી હોવા સાથે કવિતાનાં વ્યાસંગી છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાંથી ગ્રંથાલય અને માહિતી-વિજ્ઞાન વિભાગનાં અધ્યક્ષ અને પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયાં. ૨૦૧૯થી તેઓ ગુજરાત વિશ્વકોશમાં સેવાઓ આપે છે. તેમણે એમિરિટ્સ (Emeritus) પ્રોફેસર તરીકે પણ સેવા આપી છે. તેમણે ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનનાં આઠ પુસ્તકો આપ્યાં છે. કવિતા અને વાર્તાનાં સંપાદનો પણ તેમની પાસેથી મળ્યાં છે.
રામનારાયણ વિ. પાઠક, યોગેશ જોષી, ઊર્મિલા ઠાકરનાં અન્ય પુસ્તકો
-
-
-
-
-
ઇબુક
કૃષ્ણલાલ શ્રીધરાણી – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી | સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર
-
ઇબુક
ગુલામમોહમ્મદ શેખ – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: ગુલામમોહમ્મદ શેખ | સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇબુક
પ્રિયકાન્ત મણિયાર – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: પ્રિયકાન્ત મણિયાર | સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર
-
-
-
-
-
-
અન્ય પુસ્તકો
-
-
ઇબુક
ભરત વિંઝુડાની ગઝલસંપદા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: ભરત વિંઝુડા | સંપાદક: કેસર મકવાણા
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-