ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જનાત્મક કૃતિઓનાં, સ્વરૂપવાર ઐતિહાસિક ક્રમે તથા સર્જકકેન્દ્રી, એમ અનેકવિધ સંચયો-સંપાદનો થતાં રહ્યાં છે, સમગ્ર ગુજરાતી વિવેચનમાંથી સાહિત્યવિચાર/તત્ત્વવિચારના મહત્ત્વના લેખોના પણ થોડાક સંચયો થયા છે, પરંતુ કોઈ વિવેચકવિશેષનાં સર્વ પુસ્તકો/લેખોમાંથી તારવીને એ વિવેચકના વિવેચનકાર્યનું એક અર્કરૂપ સઘન ચિત્ર ઉપસાવવાના પ્રયત્નો જવલ્લે જ થયા છે. આવાં સંપાદનો અભ્યાસીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓને અધ્યયનસામગ્રી હાથવગી કરાવી આપવામાં પણ ઉપયોગી થાય, એ એનો આનુષંગિક લાભ છે.
આવા વિચારથી, એકત્રના ઉપક્રમે અમે આ સઘન-વિવેચનલેખ-શ્રેણીનો પ્રકલ્પ આરંભ્યો છે.
એ અનુસાર ગુજરાતી સાહિત્યના કેટલાક નીવડેલા અભ્યાસીઓને નિમંત્રણ અપાયું છે. આ વિદ્વાનો એમને સોંપેલા હોય એ, વિવેચકોના સમગ્ર વિવેચનમાંથી એક સઘન સંપાદન કરી આપે. આ રીતે વિવિધ અભ્યાસીઓ દ્વારા ગુજરાતીના મહત્ત્વના વિવેચકોને આવરી લેતાં અધ્યયન-નિષ્ઠ સંપાદનો, જેમજેમ તૈયાર થતાં જશે એમએમ એકત્રની વેબસાઈટ પર મુકાતાં જશે ને એકત્રના ઈ-ગ્રંથાલયમાં સમાવિષ્ટ થશે.
– રમણ સોની
શ્રેણી-સંપાદક
મણિલાલ હ પટેલ
મણિલાલ હ. પટેલ (જ. ૯-૧૧-૧૯૪૯) આપણા પ્રતિષ્ઠિત કવિ, નિબંધકાર, વાર્તા-નવલકાર, ચરિત્રકાર, વિવેચક અને સંપાદક છે.
ગોલાના પાલ્લા, ગુણાવાડા, જિ. મહીસાગર, બા વગરના કુટુંબમાં, અભાવોની વચ્ચે વતનમાં ને મધવાસમાં શિક્ષણ લીધું. મોડાસા કૉલેજમાં આચાર્યશ્રી ધીરુભાઈનાં પ્રેમ-કાળજી તથા માર્ગદર્શનમાં તૈયાર થયા–ઘડાયા. ગુજરાતી કવિતામાં પ્રેમ નિરૂપણ શોધ-નિબંધ પ્રકાશિત કર્યો. ૧૯૭૩થી ૧૯૮૭ ઇડર કૉલેજમાં અને ૧૯૮૭થી ૨૦૧૨ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં અધ્યાપન કરાવ્યું. અનેક છાત્રો તૈયાર કર્યા. ઉત્તમ અધ્યાપક તથા લોકપ્રિય વક્તા તથા સર્જક વિવેચક તરીકે એમને બધા ઓળખે છે. આ સંદર્ભે એમને ૨૦૧૯નો ગુજરાત સાહિત્ય ગૌરવ પુરસ્કાર અપાયો છે.
કવિતા-વાર્તા-નવલ-નિબંધ-વિવેચનનાં ૭૫થી વધુ પુસ્તકો અને ૩૫ જેટલા સંપાદનો આપ્યાં છે. એમનાં સુખ્યાત પુસ્તકો છેઃ માટી અને મેઘ, રાતવાસો, ભૂંસાતાં ગ્રામચિત્રો, માટીવટો, ધૂળમાં ઉડતો મેવાડ, અંધારું, લલિતા, અંજળ, તરસી માટી, તરસ્યા મલકનો મેઘ, સર્જક રાવજી, કથા અને કલા, કર્તા અને કૃતિ, તોરણમાળ, ગામવટો, સાતમી ઋતુ.
એમને ૩૦થી વધુ પારિતોષિક મળ્યાં છે. બે વાર તેઓ રાજ્ય સરકાર દ્વારા સન્માનિત થયા છે. નર્મદ ચંદ્રક, ધનજી કાનજી સુવર્ણ ચંદ્રક, સુરેશ જોશી નિબંધ પારિતોષિક, જોસેફ મેકવાન સાહિત્ય પુરસ્કાર, ઉમાશંકર જોશી વાર્તા પુરસ્કાર, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક: પરિષદનાં ૭ અકાદમીનાં ૫ પારિતોષિક! દેશ-વિદેશમાં કાવ્યપઠન ઉપરાંત સેંકડો વ્યાખ્યાનો આપ્યાં છે. અનેક સંપાદનોમાં એમના લેખો તથા એમની રચનાઓ સ્થાન પામ્યાં છે.
મણિલાલ હ પટેલનાં અન્ય પુસ્તકો
-
-
-
-
ઇબુક
કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: રાજેશ પંડ્યા | સંપાદક: મણિલાલ હ પટેલ
-
-
-
-
-
-
-
ઇબુક
મણિલાલ હ. પટેલની વાર્તાઓ — અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
લેખક: મણિલાલ હ પટેલ | સંપાદક: અજય રાવલ
-
-
-